Corona Se Daro Na.. - Shree Varahi Pragati Mandal Sardhav

Corona Se Daro Na..

કોરોના થી ડરો ના…

કોરોના ના નામથી ભડકનારને એટલું જ કહીશ  કે, કોરોનાથી તમે ડરો ના ;

થાય જો કોરોના તમને તો સહર્ષ સ્વીકારજો, કહેજો નિડરતાથી કે મને થયો છે કોરોના .

 

વિશ્વ આખું ફફડી રહ્યું આ ના સમજાતા રોગ થી, પણ આપણા આયુર્વેદથી ડરે છે આ કોરોના ;

માનવીને તેની નિઃસહાયતાનું જ્ઞાન યાદ કરાવ્યું, તેથી ઈશ્વરીય શક્તિ ને કદી પડકારો ના .

 

કર્મનો સિદ્ધાંત સહ ભાગ્યને તમે ભુલશોના, ઈશ્વરની મરજી સિવાય પાંદડુંયે હાલતુ ના ;

આ ના સમજાતા વ્યાધિથી ડરી તમે, ઈશ્વર પર થી શ્રદ્ધા ક્યારેય ઘુમાવશોના .

 

બધું કરવા છતાં પણ આવે જો કોરોના તો, ‘ઈશ્વરેચ્છા બલિયસી‘  આ વાત કદી ભૂલશો ના ;

દેશદુનિયાના સંક્રમિત આંકડાઓને,  સનાતન સત્ય સમજી નાહકના તમે ગભરાશો ના .

 

હા, સાવધાની સતર્કતા બિલકુલ ચુકશો ના, તંત્રના સુચનોની અવગણના જરાય તમે કરશો ના ;

આત્મવિશ્વાસઈશવિશ્વાસ ને રાખજો સદા હૈયે, ખોટા ભ્રમ કે અંધવિશ્વાસ માં ક્યારેયતમે રાચશો ના .

 

ગણ્યા ગાંઠ્યા લોકોજ થાય છે પ્રભુને પ્યારા, વિશ્વાસ રાખો તમારું નામ તેમાં હશે ના ;

કોરોનાને મ્હાત આપનાર અગણિત છે,  તમે પણ તેમાંનાજ થશો એ વિશ્વાસ કદી ડગમગાવશો ના .

 

કોરોનાની કોઈ ચોક્કસ દવા નથી છતાં, સ્વસ્થ થનારાઓના આત્મવિશ્વાસને તમે ભુલશો ના ;

કોરોનાની દવા જયારે હાથવેંતમાં લાગે છે ત્યારે, ખોટી અફવાહોથી મોતને વહાલું તમે કરશોના .

 

કોરોના વોરિઅર્સ તોછે પ્રભુના સાચા પયગંબર, તેમનો ઉપકાર કદી ભૂલશો ના ;

દુખ માં સાથ આપનાર સૌ સ્વજનો તેમજ, સંસ્થા અને તંત્રનો આભાર માણવાનું ચુકશો ના .

 

ભારતમાતાની સ્વતંત્રતાએકતાઅખંડતાને કાજે, બલિદાન આપનારાઓને કદી ભૂલશો ના ;

ભૂતકાળ માં આવી લડાઈઓ માં વિજયી થયા છીએ આપણે, આ વાતને તમે વિસરશો ના .

 

આવો આપણે સૌ એક થઇ વચન લઇએ કેકોરોના સામેના આ જંગ માં પીછેહઠ આપણે કરશું ના ;

વિશ્વાસથી કહું છું કે કોરોનાને હરાવશુંભૂતકાળ બનાવશું,  જેથીપાછા ફરવાની હિમ્મત કયારેય કરે ના .

 

 

લેખન: ‘નિમિત્ત માત્ર’

સરઢવ , તા:૦૮.૦૮.૨૦૨૦

*************